ટ્રાવેલ્સની બસે બાળક સહિત સાયકલ લઈને જતાં બે વ્યક્તિઓને ઠોકર મારતા સાયકલ ચાલક પર ટાયર ફરી વળતા ઘટના સ્થળે મૃત્યુ

copy image

ગાંધીધામ-આદિપુર સંકુલને જોડતા ટાગોર રોડ ઉપર ફરી એક વાર જીવલેણ અકસ્માત સર્જાયો હતો. આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આજરોજ 11 વાગ્યાની આસપાસ ટાગોર રોડ ઉપર આવેલ બેકિંગ સર્કલ ચાર રસ્તા નજીક પટેલ ટ્રાવેલ્સની બસે સાયકલ લઈને જતાં બાળક સહિત બે વ્યક્તિઓને ઠોકર મારતાં સાયકલ ચાલકના માથા ઉપર ટાયર ફરી વળતા તેનું ઘટના સ્થળે મોત થયું હતુ.

જ્યારે બાળકને ગંભીર ઈજાઓ પહોચતા તેને 108 વડે રામબાગ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અકસ્માત સર્જી બસનો ડ્રાઈવર બસ મુકી ભાગી ગયો હતો. આ અકસ્માતથી લોકોમાં રોષ ફેલાયો હતો. તો પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.