ઊછીનાં દીધેલા 25 લાખ પરત ન મળતા ઊનાનો યુવાન ગુમ

ઊનામાં રહેતા શિલ્પાબેન ભરતભાઈ ગોકળદાસ છગે પોલીસમાં જણાવ્યાં અનુસાર તેમનો પુત્ર કરણભાઈ ભરતભાઈ છગ ગત 26 સપ્ટે બપોરે 1 કલાકે ચીઠ્ઠી લખી ગુમ થઈ ગયો છે.આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ઊના શહેરમાં ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતા શિલ્પાબેનના જેઠ ગીરીશભાઈના જમાઈ કલ્પેશભાઈ અશોકભાઇ મશરૂ, તેમજ અલ્પેશભાઈ મશરૂના ભાઈ ભાવેશભાઇ અશોકભાઈ મશરૂ અને દિલીપભાઈ પ્રકાશભાઈ મશરૂને બિઝનેશ કરવા ભરતભાઈ ગોકળદાસ છગે 25 લાખ ઉછીના આપ્યા હતા.

આ 25 લાખ શિલ્પાબેન માંગે છે તે રૂપિયાની ઉઘરાણી અવાર નવાર કરતા હોય તેમ છતાં આ રૂપિયા પરત ન આપતા હોવાથી તેમના દિકરા કરણ ભરતભાઈ છગ માનસિક તણાવમાં આવી જઇ ચીઠ્ઠી લખી ગત 26 સપ્ટે ના રોજ બપોરે મીલન કોમ્પ્લેક્ષ પાસે આવેલ દુકાને થી કોઈને કહ્યાં વગર ત્યાથી ચાલ્યો ગયો અને શોધખોળ કરવા છતાં પતો ન મળતા પરિવાર ચિંતિત બન્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.