મોરબીના વેપારી સાથે અમદાવાદના બે ઇસમોએ રૂ.75 લાખની ઠગાઇ કરી

મોરબીના વેપારીને અમદાવાદના બે ઇસમોએ પોતે કોઇ સારી કંપનીમાં ડિરેક્ટર હોઇ, સરકારમાં ઉંચી પહોંચ હોવાનું જણાવી 75 લાખની છેતરપિંડી કરી ભાગી છૂટ્યા હતા. ભારત સરકારમા વિદેશ વિભાગમાં કર્મચારી તરીકેની પણ ઓળખ આપનારા આ બંને સખ્શો સામે મોરબીના વેપારીએ ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી આદરી છે.

જેઠવા સ્ટોન નામની પેઢી ચલાવતા અનીલ જમનાદાસ ઠક્કરે અમદાવાદમાં મીકામી ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર પંકજકુમાર ફકિરચંદ સોલંકી અને પોતાને કેન્દ્ર સરકારના વિદેશ વિભાગમાં મહત્વની કામગીરી કરતા હોવાનું જણાવતા પ્રેમ સાગર ફકીર ચંદ સોલંકીએ પોતે રાજપુત સમાજના હોવાની ઓળખ આપી વિશ્વાસમાં લીધા હતા તથા ટીંબડી ગામ પાસે આવેલા નવ રચના સ્ટોન પ્રોડક્ટ યુનિટમાં તેમની પાસેથી રૂ 75 લાખ જેટલી રકમ તેમની પેઢીમાં ટ્રાન્સફર કરાવી લેવાઈ હતી.

આ રકમ લીધા પછી તેઓએ સમયસર પરત ન કરતા સમગ્ર બાબત સામે આવી  અને પંકજકુમાર અને અને પ્રેમ સાગરે તેમની સાથે રૂ 75 લાખની છેતરપીંડી કરી હોવાનું સામે આવતા જમનાદાસે બન્ને ઈસમ વિરુદ્ધ તાલુકા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.