પતિ સાથે ચા બનાવવા મુદ્દે બોલાચાલી થતા પત્નીએ ઝેરી દવા પીને આપઘાત કર્યું

copy image

હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામમાં પતિ સાથે ચા બનાવવા મુદ્દે બોલાચાલી થતા પત્નીએ ઝેરી દવા પીને આત્મહત્યા કરતા ચકચાર મચી છે. સમગ્ર બાબતે હળવદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ વિશેની પ્રાપ્ત વિગતો મુજબ મુળ છોટાઉદેપુરના રહેવાસી અને હાલ નવા ઘનશ્યામગઢ ગામની સીમ ધર્મેન્દ્રભાઇ વશરામભાઇ કડીવાલ પટેલની વાડીમા રહેતી 18 વર્ષીય ઉર્મિલાબેન નાયક નામની પરિણીતાને તેના પતિ કરણભાઇ સાથે ચા બનાવવા મુદ્દે બોલાચાલી થઈ હતી. જેને પગલે ઉર્મિલાબેનને મનમાં લાગી આવ્યું હતું અને જંતુનાશક ઝેરી દવા પીને અંતિમ પગલું ભર્યું હતું. જેની જાણ પતિ સહિતના પરિવારજનોને થતા તરત તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત ઘોષિત કર્યા હતા.

આ વિશેની જાણ હળવદ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, પરિણીતાના લગ્ન 2 વર્ષ પહેલા  જ થયા હતા. હાલમાં પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.