કુંદરોડીમાં કંપનીના સલામતી રક્ષક ઉપર ત્રણ અજાણ્યા આરોપીઓ દ્વારા હુમલો.

મુંદ્રા તાલુકામાં કુંદરોડીના ગામે કંપનીના સલામતી રક્ષક વકીલ અહેમદ મહોર અલી શાહ ઉપર ત્રણ અજાણ્યા આરોપી હુમલો કરીને તેને માર માર્યો હોવાનો કિસ્સો બહાર આવ્યો હતો. હુમલો કરનાર અજ્ઞાત શખ્સોને બે દિવસ અગાઉ કંપનીમાં આવતા રોકીને તેમને ચાલ્યા જવાનું કહેવાયું હતુ. આ બાબતે અદાવતમાં શુક્રવારે સંધ્યા સમયે આ હુમલો કરાયો હતો. તેમ પોલીસે ફરિયાદને ટાંકીને જણાવ્યુ હતું. મુન્દ્રા પોલીસે ગુનો નોધી તજવીજ હાથ ધરી છે.