જરોદમાં સમાજના લોકો વચ્ચે સામાન્ય બોલાચાલીમાં યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરાઇ હત્યા

વાઘોડિયાના જરોદમા એક જ સમાજના લોકો વચ્ચે બોલાચાલીની અદાવતમાં અર્જુન ભાલીયા નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. વાઘોડિયાના જરોદમાં વહાણવટી માતાજી મંદિર ભાલીયાવગામા એક જ સમાજના યુવાનો વચ્ચે આઠમના દિવસે જવારા વળાવવાને લઈ બોલાચાલી થયા પછી સમાધાન થતાં રાત્રે સૌ છુટા પડ્યા હતા. મંગળવારે જવારા વળાવવાના સમયમાં આશરે 8થી 10 સખ્શોએ રાતની અદાવત રાખી અર્જુન ભાલીયા ઉં.વર્ષ 25 જવારાના પ્રસંગમાં આવતા ટોળા વચ્ચેથી યુવાનને ઊપાડી લઈ તિક્ષ્ણ હથીયારના ઘા ઝીંકી દેવાતા યુવાનું લોહી વહી નિકળતા ઢળી પડ્યો હતો.

બનાવ સ્થળેથી યુવાનને સારવાર માટે લઈ જવામાં આવતા તબીબે તેને મૃત ઘોષિત કર્યો હતો. યુવાનની હત્યા પછી હત્યારાઓ પલાયન થઈ થયા હતા. ઘટના સ્થળેથી યુવાનના લોહિ અને ચપ્પલ મળી આવ્યા છે. ઘટનાને લઈ જરોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સામાન્ય બોલાચાલીમાં યુવાનની હત્યા કરી દેવામાં આવતા ભાલીયાવગામા શાંતિ છવાઇ છે. મૃતક યુવાનને જરોદ રેફરલ હોસ્પિટલ મધ્યે પીએમ માટે ખસેડી હત્યારાઓને શોધવા પોલીસે અલગ અલગ ટીમ બનાવી કોમ્બિંગ હાથ ધર્યુ છે. યુવાનની હત્યા પછી ગ્રામજનોના ટોળેટોળા જરોદ પોલીસ મથકે ઉમટી પડ્યા હતાં.