મોબાઈલ કે સ્માર્ટ વોચ સાથે ઝડપાયેલા વિદ્યાર્થી સામે FIR કરાશે

આગામી માર્ચ 2023માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ માટેના શિક્ષાકોષ્ટક જાહેર કરવામાં આવ્યા છે. જે અનુસાર બોર્ડની પરીક્ષામાં ઉમેદવાર વર્ગખંડમાં મોબાઇલ અથવા સ્માર્ટ ઘડિયાળ કે કેમેરા વાળું કેલ્ક્યુલેટર સાયન્ટિફિક કેલ્ક્યુલેટર કે અન્ય ઇલેક્ટ્રોનિક યંત્ર વગેરે લાવેલા હોવાનું જાણ થસે તો તે પરીક્ષાર્થીનું જે તે વર્ષની પરીક્ષાનું સમગ્ર પરિણામ રદ થશે ઉપરાંત ત્યારબાદની બે પરીક્ષામાં બેસવા દેવાશે નહિ અને તેની સામે પોલીસ કેસ નોંધાશે.

આગામી બોર્ડની પરીક્ષામાં પરીક્ષા ગેરરીતીથી વિહીન અને ભયમુક્ત સ્વસ્થ વાતાવરણમાં લેવામાં આવે તેવું આયોજન કરવું અનિવાર્ય છે તેમ જણાવી ગેરીરીત થી કેસ અંગે બનતા ગુનાઓ સામે લેવાના પગલાઓથી તમામ વિદ્યાર્થીઓ અવગત બને અને જાગૃતિ કેળવાય તે હેતુસર શાળાઓમાં શિક્ષા કોષ્ટકની વિગતવાર માહિતી આપવા પણ જણાવવામાં આવ્યું છે. આથી નોટિસ બોર્ડ પર શિક્ષા કોષ્ટકની પ્રત લગાવવી. પરી પ્રાર્થના સભામાં શિક્ષા કોષ્ટકનું વાંચન કરવાનું અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા વક્તવ્ય યોજવામાં આવે.

પરીક્ષામાં પ્રામાણિકતા અંગેના વિષયોને ધ્યાનમાં રાખીને વકૃત્વ સ્પર્ધા કે નિબંધ સ્પર્ધાઓ યોજવી. શાળા કક્ષાએ યોજાતી પરીક્ષાઓમાં પણ બોર્ડની પરીક્ષાની કાર્ય પદ્ધતિ અપનાવવાથી વિદ્યાર્થી બોર્ડની વાર્ષિક પરીક્ષાની કાર્યપદ્ધતિ વિશે તાલીમ મેળવી શકે અને આ માટે પ્રથમ કે દ્વિતીય પરીક્ષામાં બોર્ડની પરીક્ષા જેવી પદ્ધતિ અપનાવીને વિદ્યાર્થીઓને સજ્જ કરાય.