જામનગરમાં જાહેરાતનું બોર્ડ ઉતારવા ગયેલા યુવાકને કરંટ લાગતાં મૃત્યુ નીપજયું

જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલા સાધના કોલોની વિસ્તારમાં રહેતો યુવાન તેની અગાસી પર જાહેરાતનું બોર્ડ ઉતારવા માટે ગયો હતો. તે દરમિયાન ઈલેક્ટ્રીક થાંભલાનો હાઈ વોલ્ટેજ તાર અડી જતાં, વીજ શોક લાગવાથી યુવાનને તાત્કાલિકpane જી. જી. હોસ્પિટલમાં લઈ જવામા આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.

મળતી માહિતી અનુસાર બનાવ જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલા સાધના કોલોની એમ-17 ફલેટ નં. (2697)માં રહેતો જય નીતિન ભુવા (ઉ.વ.22) નામનો પટેલ યુવાન મંગળવારે સાંજના સમયે તેના ઘરની અગાસી પર જાહેરાતનું બોર્ડ ઉતાઋ રહ્યો હતો ત્યારે ઈલેક્ટ્રીક થાંભલાનો હાઈવોલ્ટેજ તાર અડી જતાં, વીજશોક લાગતા બેહોશ થઈ જવાથી મૂટયું નિપજ્યું હતું. ઘટનાની જાણ મૃતકના પિતા નીતિન દ્વારા કરવામાં આવતા હેકો એસ.એસ. દાતણિયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો મેળવી પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.