સુરત સિટી બસમાંથી ધુમાડો નીકળતા અફરાતફરી મચી :ડ્રાઇવરે બસ ઉભી રાખી ફાયર વિભાગને જાણ કઋ, સદભાગ્યે જાનહાનિ ટળી


સુરતના કતારગામ સ્થિત સીટી બસમાં ધુમાડા નીકળતા રાહદારીઓએ બૂમાબૂમ કરી નાખી હતી. બસ ચાલકે બસને સાઈડ પર ઉભી રાખી ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
સુરતના કતારગામ સ્તિત આશ્રમ રોડ પાસે સીટી બસ પસાર થઇ રહી હતી આ દરમિયાન બસમાંથી એકાએક ધુમાડા નીકળતા અફરાતફરી મચી જવા પામી હતી. બસમાંથી ધુમાડા નીકળતા બસ ચાલકે બસને સાઈડ પર ઉભી રાખી દીધી હતી. બસમાં આગ ન લાગે તે માટે ફાયર વિભાગને જાણ કરાઈ હતી. જેથી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.
બસ ચાલક રાજકુમાર વર્માએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી ડ્રાઈવર તરીકે નોકરી કરું છું. મકાઈ પુલથી વરિયાવ તરફ સીટી બસ લઈ જઈ રહ્યો હતો તે સમયે જ્યારે બસ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ધુમાડા નીકળવાના શરૂ થયા હતા.આજે બસમાં ખામી સર્જાતા તમામ મુસાફરોને ઉતારી દીધા હતા. બસ લઈને કતારગામ આશ્રમ રોડ પાસેથી પસાર થઇ રહ્યો હતો તે વેળાએ ધુમાડા નીકળી રહ્યા હતા જેથી બસને મેં સાઈડ પર ઉભી રાખી દીધી હતી. એન્જીનના ડીઝલ નોજલ લીક થતા ધુમાડા નીકળી રહ્યા હતા.