WWE માં જવા માંગતા માધાપરના યુવાનનો ગળે ફાંસો ખાઇ આપઘાત

copy image

આજના યુગમાં યુવા વર્ગમાં પોતાની કારર્કિદી ઘડવાની હોડ લાગી છે. ત્યારે WWE માં જવા માંગતા માધાપરના યુવાનને પરીવારજનોએ ઘરના ધંધામાં ધ્યાન આપવાનું કહ્યું અને તેને મન પર લાગી આવતાં ગળે ફાંસો ખાઇ આપઘાત લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. એકના એક પુત્રના મોતથી પરિવારજનોમાં આભ ફાટી પડ્યું છે. બનાવ અંગે માધાપર પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ માધાપર રામનગરી ખાતે રહેતા અને BSF માંથી નિવૃત થયેલા રતીશ જતીશભાઇ મજમુદારના 18 વર્ષના પુત્ર રીતવીકને કારર્કિદી બનાવવા WWE માં જવાની ઇચ્છા છે તે તેણે માતા-પિતાને જણાવ્યું હતું. રતીશભાઇના નિવૃત થયા બાદ ઘર પાસે જ લોજ બનાવી હતી અને પુત્ર રીતવીકને લોજમાં ધ્યાન આપવાનું કહેતાં જેનું મનપર લાગી આવતાં શનિવારે બપોરે ત્રણ વાગ્યાના અરસામાં પોતાના ઘરના બેડરૂમમાં દરવાજો અંદરથી બંધ કરીને ગમછા વડે લોખંડના એંગલ પર ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. હતભાગી યુવાનને તાત્કાલિક જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ આવતાં હાજરી પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. માધાપર પોલીસે બનાવની નોંધ લઇને આગળની તપાસ હાથ ધરી છે.