રાજકોટમાં તસ્કરોએ માતાજીના મંદિરમાં 47,100 રૂપિયાની કરી ચોરી

રાજકોટમાં ફરી એકવાર મંદિરમાં તસ્કરી થયા હોવાની ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના રામનાથપરા વિસ્તારમાં આવેલ મેલડી માતાજીના મંદિરમાં ચોરે પ્રવેશ કરી મંદિરના દરવાજાનો નકુચો તોડી દાનપેટીમાં રહેલ અંદાજિત રૂ.35,000 રોકડ ઉપરાંત માતાજીને ચડાવવામાં આવેલ ચાંદીના 4 છત્તર અને 4 દિવેલ સહિત કુલ રૂ.47,100ની ચોરી કરી ભાગી ગયા હતા. ઘટનાની જાણ થતા એ ડિવિઝન પોલીસે ફરિયાદ દાખલ કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે.