વઢવાણ ગણપતિ ફાટક સાથે રાત્રે વાહન ટકરાતાં ફાટક તૂટ્યું


વઢવાણ શહેરના ગણપતિ ફાટકે દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા વિકટ બને છે. આ સ્થળે 4 વર્ષ પૂર્વે પણ અન્ડરબ્રિજની રજૂઆતો સાથે બ્રિજ બનાવવાની વાતો થઇ હતી. પરંતુ હજુ સુધી સુવિધા ન મળતાં લોકો રોષે ભરાયા છે. સુરેન્દ્રનગર-વઢવાણ તથા ગ્રામ્ય વિસ્તારના લોકો અને શાળા-કોલેજ સહિતના વિદ્યાર્થીઓ અહીંથી મોટી સંખ્યામાં પસાર થાય છે.
તેમજ દૂધની ડેરીના પુલ પરથી આ રસ્તો રાજકોટ બાયપાસ નીકળે છે. આથી નાના-મોટા વાહનોની અવરજવર વધુ રહેતી હોય છે. થોડા દિવસો પૂર્વે જ ડમ્પર ફાટક સાથે ટકરાતાં દોડધામ સાથે આ રસ્તા પર અડધો કલાક ટ્રાફિક જામ થતા લોકો અકળાઈ ગયા હતા.
ત્યારે ફરી મોડી રાત્રે પૂર ઝડપે આવતા પીકઅપ વાહન આ ફાટક સાથે ટકરાતાં તૂટી ગયુ હતુ. આ ઘટનામાંમાં કોઇ જાનહાની થઈ હતી નહિ. ઘટનાની જાણ થતા રેલવે તંત્ર દ્વારા દોડી આવીને ફાટક રિપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
બીજી બાજુ ગુજરાત ફાટક મુક્ત થઈ ગયું પણ ગણપતિ ફાટકમુક્ત ક્યારે થશે સહિતના લોકોમાં સવાળો ઊભા થયા હતા. આ વિશે વિશાલભાઈ વાઘેલા, સુનીલભાઈ રાઠોડ વગેરે વારંવાર બ્રિજ બનાવવાની રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવતી. અને આવી રીતે અવર નવર અકસ્માતની ઘટના બનતી છે. આ સ્થળે કોઇ મોટી દુર્ઘટના થાય તે પૂર્વે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે.