ગાંધીનગરમાં બંધ મકાનમાં ચોર સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળીને 3.86 લાખની મત્તાની તસ્કરી કરી પલાયન

copy image

ગાંધીનગરનાં ઉવારસદ ટીપી- 9 માં આવેલા પ્રમુખ એલીજીયમ સોસાયટીના બંધ ફ્લેટના દરવાજાનો નકુચો તોડી ચોર અંદર પ્રવેશી સોના ચાંદીના દાગીના, રોકડ રકમ મળીને કુલ 3 લાખ 86 હજાર 500 ની મત્તાની તસ્કરીકરી હતી. જે બાદ પલાયન થઈ જતા અડાલજ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગરના ઉવારસદ ટીપી – 9 પ્રમુખ એલીજીયમ ફ્લેટ નંબર ડી-301 માં અનસુયાબેન ભગવાનભાઇ ગજ્જર દીકરા ઉર્જાશ સાથે રહે છે. ગત તા. બીજી ઓક્ટોબરના રોજ સવારના દસ વાગ્યે અનસુયાબેન તેમના દીકરા ઉજાશ સાથે સુરેન્દ્રનગર વતનમાં માતાજીના નૈવેદ કરવા માટે ઘરને લોક કરીને ગયા હતા.
​​​​​​​

ગઈકાલે પાછા ફરતા ઘરનો નકુચો તુટેલ જોઈ ચોંકી ગયા હતા. બાદમાં ઘરમાં જઈને તપાસ કરતાં ટુ બી.એચ.કે ફલેટ્નાં બંને રૂમોના દીવાલમા બનાવેલ લાકડાના કબાટ ખૂલ્લા હતા. તેમા મુકેલ સામાન તથા ખાનાઓ નીચે વેરવિખેર પડ્યા હતા. ઉપરાંત કબાટમાં મુકેલ રૂ. 25 હજાર રોકડા, ચાંદીની પાયલ 1 જોડ, સોનાની બુટી 1 જોડ, સોનાની ચેન પેન્ડલ સાથે, સોનાની બંગડી, સોનાની લગડીઓ, સોનાની બુટી, સોનાનુ ઓમનુ પેન્ડલ અને ચાંદીના દાગીના મળીને કુલ રૂ. 3 લાખ 68 હજાર 500 મત્તા ચોર ચોરી ગયાનું માલુમ પડયું હતું. આ ઘટનાની જાણ થતાં અડાલજ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને ડોગ સ્કવોડ ફિંગર પ્રિન્ટ એક્સપર્ટની ટીમને બોલાવી આસપાસના વિસ્તારોમાં તપાસ કરી સીસીટીવી કેમેરાની ચકાસણી હાથ ધરવામાં આવી હતી.