ખેડોઈ અને મીંદિયાળા વચ્ચે મંદિર નજીક નરાધમોએ ગૌવંશની હત્યા કરતા રોષ

અંજાર તાલુકાના ખેડોઈ અને મીંદિયાળા વચ્ચે આવેલા મંદિરના પરીસ્રમાં કોઈ અજાણ્યા આરોપીઓએ  ગૌવંશની હત્યા કરી દેવાઈ છે, જેના અવશેષો જાગૃત યુવાનને મળી આવતા આસપાસના ગામના યુવાનોને જાણ કરાતા યુવાનોએ એકત્ર થઇ આરોપીઓને પકડવા માંગણી કરી હતી.

આ વિષે મળતી માહિતી અનુસાર અંજાર તાલુકાના ખેડોઈ અને મીંદિયાળા ગામના વચ્ચે આવેલા ફોરેસ્ટ ખાતાની હદમાં આવતા મોમાઈ માતાજી મંદિરના પરિસરમાં કોઈ અજાણ્યા નરાધમોએ ગૌવંશની હત્યા કરવાનું પાપી કૃત્ય કર્યું છે. આ અંગે જાગૃત યુવાન જયપાલસિંહ જાડેજા દ્વારા જયારે મોમાઈ માતાજીના મંદિરે દર્શન કરવા ગયા ત્યારે આ સ્થિતિ જોતા એમણે મીંદીયાળા અને ખેડોઈના ગૌપ્રેમીઓને જાણ કરતા બંને ગામના મોટી સંખ્યામાં ગૌ ભક્તો એકત્ર થઇ ગયા અને પોલીસ તંત્ર અને અને ફોરેસ્ટ તંત્રને જાણ કરીને આ નરાધમો ઉપર કડક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગણી કરી હતી અને જો તાત્કાલિક કાર્યવાહી કરી આવું કૃત્ય કરનાર આરોપીઓને ઝડપી લેવાશે નહી તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી