અમદાવાદમાં પકડાઈ જવાના ડરથી નદીમાં પિસ્તોલ ફેંકવા જતાં 2 રીઢા આરોપીઓ પકડાયા


સાબરમતી રિવરફ્રન્ટ મેટ્રો રેલબ્રિજ પાસેથી ક્રાઇમ બ્રાંચે શબ્બીર ઉર્ફે કાલુ બિહારી શેખ (ઉં.67, મોટો વણકરવાસ, શાહપુર) અને બશીર અહેમદ શેખ (ઉં.66, મંગળ પારેખનો ખાંચો, શાહપુર ચકલા)ને પકડી પાડી તેમની પાસેથી બે પિસ્તોલ જપ્ત કરી હતી. પકડાઈ જવાના ડરથી તેઓ પિસ્તોલ નદીમાં ફેંકવા જતા હતા.
આ અંગે પૂછપરછમા પિસ્તોલ દસ મહિના પૂર્વે જમાલપુર શાકમાર્કેટ પાસે પ્રીતમસિંગ યાદવે આપી હોવાનું કહ્યું હતું. શબ્બીર ઉર્ફે કાલુ બિહારી 1977માં હત્યાના ગુનામાં ઝડપાયો હતો તેમજ 1990માં આર્મ્સ એકટ તેમજ આતંકવાદના ગુનામાં ઝડપાયો હતો. મણિનગરના ગુનામાં સજા થતા તે જેલમાં 25 વર્ષ રહી 2014માં બહાર આવ્યો છે. જ્યારે બશીર અહેમદ શેખ પૂર્વે 1997માં 800 ગ્રામ ચરસના કેસમાં ઝડપાયો હતો, જેમાં 10 વર્ષ પછી જેલમાંથી છૂટ્યો હતો.