અમદાવાદમાં પાર્ટ ટાઈમ ફરજ બજાવતા અધ્યાપકોએ પગારની માંગ સાથે આમરણાંત ઉપવાસ પર ઉતરશે

copy image

રાજ્યના સરકારી કર્મચારીઓ વિવિધ પડતર માંગણીઓને લઈને આંદોલન કરે છે ત્યારે પાર્ટ ટાઈમ ફરજ બજાવતા અધ્યાપકો વર્ષોથી પડતર માંગણીઓને લઈને સરકાર સામે આંદોલન કરવાના છે. જેમાં અધ્યાપકો સાથે શોષણ તથા અન્યાય કરતી માહિતીની પત્રિકાઓ વેચાશે. ત્યારપછી 28 ઓક્ટોબરથી 3 અધ્યાપકો આમરણાંત ઉપવાસ કરશે.

પાર્ટટાઈમ અધ્યાપકોને યુજીસીની ગાઈડલાઈન અને ચુકાદાનો અમલ કરીને પગાર તાત્કાલિક આપવા, નોન પીએચડી પાર્ટ ટાઈમ અધ્યાપકોને જાહેરાત અનુસાર પૂર્ણ સમયમાં રૂપાંતરિત કરી રેગ્યુલર પગાર ધોરણમાં મુકવા,સન્માનજનક પગાર આપવામાં આવે આ તમામ માંગણીઓ છેલ્લા કેટલાય વર્ષોથી બાકી છે.

24 વર્ષથી અધ્યાપકો 6000 થી 19500 રૂપિયાના ફિક્સ માસિક પગારમાં નોકરી કરે છે. માંગણીઓ પુરી ના થતા પાર્ટ ટાઈમ અધ્યાપકોએ આંદોલન શરૂ કરવામાં આવય્યુ છે જેમાં પૂર્વે વડાપ્રધાનને લેખિત ફરિયાદ કરી હતી. આજે 115 ખંડ સમયના અધ્યાપકોને અન્યાય અને શોષણની માહિતી દર્શાવતી પત્રિકાઓ વહેંચવામાં આવશે. 28 ઓક્ટોબરથી ત્રણ ખંડ સમયના અધ્યાપકો દ્વારા આમરણાંત ઉપવાસ કરવામાં આવશે.