ચોટીલા-થાન રોડ પર વાડીમાં રાખવામાં આવેલા 410 કિલો સોપારીના જથ્થાની તસ્કરી


સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા થાન રોડ ઉપર વાડીમાં રાખેલો 410 કિલો સોપારીનો જથ્થો ચોરાઈ જતાં ચકચાર મચી છે. ત્યારે આ ચોરીના બનાવ અંગે ચોટીલા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા થાન રોડ ઉપર સાયરામ સોસાયટીની પાછળ આવેલી વાડીમાં ઓરડીમાં 410 કિલો સોપારીનો જથ્થો રખાયો હતો. ત્યારે રાત્રિના સમયે ચોર 410 કિલો સોપારીની તસ્કરી કરી ગયા હોવાની હાલમાં ચોટીલા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ત્યારે હાલમાં ચોટીલા પોલીસ મથકેથી જાણવા મળી રહેલી માહિતી મુજબ ચોટીલા થાન રોડ ઉપર આવેલી સાયરામ સોસાયટીની પાછળના ભાગમાં વાડીમાં રાખવામાં આવેલો 410 કિલો સોપારીનો જથ્થો રાત્રિના સમયમાં ચોર 410 કિલો સોપારી ચોરી કરી ગયા હોવાનું હાલમાં ફરિયાદી દ્વારા જણાવવામાં આવ્યું છે. આ વિશેની તસ્કરીનો ભોગ બનેલા ઇમરાનભાઈ કલાડિયા દ્વારા ચોટીલા પોલીસ મથકમાં 410 કિલો સોપારી ચોરાઈ હોવાનું હાલમાં પોલિસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારે પોલીસ તંત્ર દ્વારા તપાસ હાથ ધરી અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.