અમદાવાદમાં પૈસા ડબલ કરવાની લાલચ આપી સાધુના વેશમાં આવેલા બે શખ્સ રૂ.17 લાખ લઈ પલાયન


ઈસનપુર વિસ્તારમાં સાધુના વેશમાં આવેલા બે ગઠિયા વેપારીને પૈસા ડબલ કરવાની લાલચ આપી 17.50 લાખ લઈને પલાયન થઈ ગયા હતા. સાધુના વેશમાં આવેલા ગઠિયાઓએ વેપારીને વિશ્વાસમાં લઈ અમે વિધિ કરીને પૈસા ડબલ કરી આપીશું તેમ જણાવ્યું હતું. વેપારી પાસેથી રૂ.17.50 લાખ ભરેલી થેલી લઈ થોડીવાર માટે આંખ બંધ કરીને ધ્યાન ધરવાનું કહીને સાધુના વેશમાં આવેલા બે ગઠિયા થેલી લઈ પલાયન થઈ જતાં વેપારીએ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવાઈ છે.
અમરાઈવાડીમાં રહેતા સુરેશભાઈ બપોરે દુકાનમાં હતા ત્યારે સાધુ વેશમાં બે ગઠિયા તેમની પાસે આવ્યા હતા. જેમાંથી એકે વેપારીને કહ્યું કે, મારા ગુરુ તમારી દુકાનમાં પગલાં પાડવા આવ્યા છે, જેથી વેપારીએ તેમને દુકાનમાં બેસાડી ચા-પાણી કરાવ્યા ત્યારબાદમાં આ બાવાએ સુરેશભાઈને રૂદ્રાક્ષ આપ્યો હતો અને મુઠ્ઠીમાં બંધ કરીને સૂંઘવાનું કહ્યું હતું. ઉપરાંત તમારા પાસે જે પૈસા હોય તે મને આપો હું તેને ડબલ કરી નાખીશ તેમ જણાવ્યું હતું. જેથી વેપારીએ બે ગઠિયા પર વિશ્વાસ મૂકીને દુકાનમાં મુકેલા રૂ.17.50 લાખ ભરેલી થેલી ગઠિયાને આપી હતી. પછી વેપારીએ સુરેશભાઈને વિધિ કરું છું , આંખ બંધ કરી દો તેમ કહીને આંખો બંધ કરાવી હતી. જો કે તે સમયે બંને ગઠિયા ત્યાંથી પલાયન થઈ ગયા હતા.
વેપારીએ આંખ ખોલી ત્યારે સાધુના વેશમાં આવેલા બંને ગઠિયા પૈસા ભરેલી થેલી લઈ પલાયન થઈ ગયા હતા.વેપારીને પૈસા ડબલ કરી આપવાનું કહીને વિશ્વાસઘાત અને પોતે છેતરાયા હોવાનું જણાતા તેમણે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.
સાધુના વેશમાં આવેલા બંને ગઠિયાએ વેપારીને પૈસા ડબલ કરવા માટે આંખો બંધ કરાવી પહેલા મંત્ર બોલવાનું ચાલુ કર્યુ હતું. બાદમાં ત્રણ મિનિટ સુધી આંખો ન ખોલવી તેમ જણાવીને આંખો બંધ કરાવી હતી. જો કે ચોથી મિનિટે વેપારીએ આંખ ખોલી તો પૈસા લઈ નાસી ગયા હતા.