અમદાવાદના સરદાર બ્રિજ પર લગાવાયેલી મલ્ટિકલર લાઇટ્સ સહિત રૂ.7 લાખની મતાની તસ્કરી કરાઈ


સરદારબ્રિજ પરથી મલ્ટિકલર લાઇટ્સ સહિત 7 લખાની મતા ચોરાયાની પાલડી પોલીસમાં ફરિયાદ દાખલ કરાવાઈ છે. સોલામાં રહેતા નીલેશ વાસાણીની ફરિયાદ અનુસાર, તેમની કંપની ડેકોરેશન લાઇટિંગનું કામ કરે છે. સરદારબ્રિજ પર મલ્ટિકલર લાઇટ ફિટિંગનો કોન્ટ્રાક્ટ મળ્યો હોવાથી તેમણે તે જગ્યાએ 7 લાખની લાઇટ્સ સહિતની વસ્તુઓ લગાવી હતી.
તેઓ તે જગ્યાએ મેન્ટેનન્સ માટે ગયા ત્યારે જાણવા મળ્યું હતું કે, સરદાર બ્રિજ નીચે અને આજુબાજુ મલ્ટિકલર ડેકોરેટ લાઇટ સિસ્ટમ, કન્ટ્રોલ સિસ્ટમ, બાર લાઇટ, કેબલ મળી 7 લાખની મતાની કોઈ તસ્કરી કરી ગયું હતું.