મોરબીના લખધીરપુર રોડ પરની ફેકટરીમાં મધરાત્રીએ આગ ફાટી નીકળતા અઢી કલાકે કાબુમાં આવી


ગત મધરાત્રીના લખધીરપુર રોડ પર આવેલ સિરામિક ફેકટરીમાં આગ ભભૂકી ઉઠી હતી. જેથી ફાયર ટીમે અઢી કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો.
મોરબીના લખધીરપુર રોડ પર આવેલ ઓપવેલ સિરામિક નામની ફેકટરીમાં સ્ક્રેપ મટીરીયલ્સમાં આગ લાગી ગઈ હતી. રાત્રીના અઢી વાગ્યાના સંયગલામાં આગ લાગતા ફાયરની ટીમ દોડી ગઈ હતી. મોરબી ફાયર ફાયટરના જવાનોએ સતત અઢી કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગતા શ્રમિકોમાં દોડભાગ મચી ગઈ હતી. ફેકટરીમાં આગના લીધે કોઈ જાનહાની થયાના અહેવાલો નથી મળ્યા. ફેકટરીમાં નુકશાની થઈ છે જોકે ચોક્કસ નુકશાનીનો આંક હાલ જાણી નથી શકાયો.