નરેડી – માણાવદર રોડ પર કાર પુલની પાળી સાથે અથડાતાં એક વ્યકિતનું મોત નીપજયું


નરેડી-માણાવદર રોડ પર કાર પુલની પાળી સાથે અથડાઇ જતાં એક યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું ઉપરાંત એકને ઈજા થઈ હતી. જૂનાગઢ શહેરમાં રહેતાં મિલનભાઈ શશીકાંતભાઈ સંચાણીયાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર,મિત ડેકીવાડિયાએ પોતાના હવાલાવાળી કાર નં. જી જે 11 સી.ડી 4122 નરેડી-માણાવદર રોડ પર પુરપાટ ચલાવી પુલની પાળી સાથે અથડાવી હતી અને અકસ્માત થયો હતો અને કારમાં સવાર પ્રણવ મિલનભાઈ સંચાણીયાને ગંભીર ઈજા થતાં મોત થયું હતું અને હેમદિપભાઈ ને ઈજા થઈ હતી.આ અકસ્માતની ઘટનાને લઈ પોલીસે વધુ આગળની તપાસ હાથ ધરી હતી.
જેતપુર-સોમનાથ ફોરટ્રેક પર વાહન અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે જ વધુ એક અકસ્માતબો બનાવ બન્યો હતો. જેમાં વંથલી નજીક એક વાહન ચાલક એક વ્યક્તિને ઠોકર મારી પલાયન થઇ ગયો હતો. અને ઇજાગ્રસ્ત ને 108 મારફત સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.