ધજાળા પોલીસ સ્ટેશનના જુદા જુદા ગુનામાં બે વર્ષથી નાસતા ફરતા ત્રણ આરોપીઓ ઝબ્બે

copy image

ધજાળા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.કે. ઈશરાણીએ જુદી જુદી ટીમો બનાવી ખાસ એકશન પ્લાન તૈયાર કરી ધજાળા પો.સ્ટે. વિસ્તારના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે અભિયાન હાથ ધરાયું હતુ. આ અંગે જરૂરી વર્કઆઉટ કરી સચોટ બાતમી હકીકત એકત્ર કરાઇ હતી. જે કામગીરીના ભાગરૂપે ધજાળ પોલીસ ટીમો દ્વારા જુદા જુદા ગુન્હાઓમાં સંકડાયેલા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ધજાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાસ પેટ્રોલીંગ હાથ ધરાયું હતુ.

જે દરમિયાન બનાવેલી ટીમો દ્વારા મળેલી ચોકકસ બાતમી હકીકત આધારે કચ્છ અને સુરેન્દ્રનગર જીલ્લામાં ઝડપાયેલા આરોપીઓ ગુન્હો કર્યા પછી પોતાના માલઢોર લઈને નાસી ગયેલા હોય જેઓની સચોટ બાતમી મેળવી ટેક્નિકલ સોર્સથી માહિતી એકત્ર કરી લઈ ખેતીની જમીન વેંચાણ કરવા અંગેના ખોટા દસ્તાવેજ કરી આપવાનો નાસતો ફરતો આરોપી દેવાયતભાઈ શામળાભાઈ રબારી ઉ.48, માત્રાભાઈ અમરાભાઈ રબારી ઉ.50, લખમણભાઈ શામળાભાઈ રબારી (ઉ.60) રહે. બધા રાતડકી તા.સાયલાને પકડી પાડ્યા હતા.

આ કામગીરી પો.સ.ઈ. એમ.કે. ઈશરાણી, એએસઆઈ રણછોડભાઈ ભરવાડ અને એએસઆઈ ઘુસાભાઈ સોલંકી તેમજ હે.કો. વાલજીભાઈ, હે.કો. મુકેશભાઈ પરમાર, પો.કો. શેખાભાઈ રબારી, તથા પો.કો. ઉદયભાઈ ભાંભળા અને પો.કો. હિતેશભાઈ જીડીયા, પો.કો. સંજયભાઈ કમાભાઈ ડાભીએ બજાવી હતી.