ભચાઉ એસ.ટી બસ સ્ટેશનમાં બસમાં આગ લાગી હોવાની અફવાથી દોડધામ મચી


ભચાઉના એસટી બસ સ્ટેશનમાં રાત્રે બસની અંદર ફાયર સેફટી માટે રખાયેલી બોટલમાંથી પ્રવાહી સાથે ધૂમાડો નીકળતાં આગની અફવા ફેલાઈ અને બસમાંથી પ્રવાસીઓએ ભાગદોડ મચાવી હતી. રાત્રિના 8:30 વાગે આવેલી ભુજ થી મધ્યપ્રદેશ ના પીટોલ જતી એસટી બસમાં દિવાળી વેકેશનને લઈને ભારે ભીડ હોતા કોઈ પ્રવાસીનો સામાન ભરેલો થેલો આગ ઓલાવવા માટે ફાયર સેફટી તરીકે ઉપયોગમાં લેવાતી બોટલ પર મુકી દેવાયો હતો.
જેના ભારથી બોટલમાંથી માંથી સફેદ પ્રવાહીનો જોરદાર ફુવારો ઉડવાની સાથે ધૂમાડો નીકળતાં અંદર બેઠેલા પ્રવાસીઓમાં ગભરાઈ ગયા હતા તેની સાથે આગની અફવા ફેલાતાં મુસાફરોમાં અફરાતફરી મચી હતી અને થોડી જ વારમાં બસ ખાલી થઈ ગઇ હતી. બસ ખાલી થતા જ બસ સ્ટેશનમા ઉભેલા મુસાફરોમાં પણ દોડભાગ મચી ગઇ હતી. હાલમાં બસ સ્ટેશનમાં દિવાળીના તહેવારોને લઈને લોકોની ભારે મેદની જોવા મળી છે ત્યારે બસમાં લાગેલી આગ એ એક અફવા જ હોવાથી ડેપોના મેનેજર અને કર્મચારીઓએ તથા પ્રવાસીઓને હાશકારો અનુભવ્યો હતો.