ઉદયપુર પાસે ટોઈંગ ક્રેઈન સાથે કાર અથડાતાં અકસ્માત સર્જાયો: એકનું મોત


શહેરના ફતેગંજ વિસ્તારમાં સેજલ સોસાયટી મધ્યે રહેતા મુસ્લિમ સમાજના અગ્રણી સૈયદ અમીનના મોટા ભાઈ લગ્નમાંથી પાછા આવતાં સમયે ઉદયપુરના દેલવાડા નજીક કાર અકસ્માતમાં મૃત્યુ પામતાં મુસ્લિમ સમાજમાં શોકની લાગણી છવાઈ હતી. મૃતક નઇમ સૈયદનો મૃતદેહ ફતેગંજ સ્થિત નિવાસસ્થાને લઈ અવાશે. જાણવા મળતી માહિતી મુજબ રાજસ્થાનના ઉદયપુર મધ્યે દીકરીના લગ્નમાં હાજરી આપી કન્યા વિદાય પછી કારમાં મિત્રો અને પરિવારજનો સાથે પાછા ફરતા નઇમ સૈયદ કાર ચલાવી રહ્યા હતા.
ઉદયપુરના દેલવાડા નજીક ટોઈંગ ક્રેઇન સાથે કાર અથડાતાં 4 વ્યક્તિઓને ઈજા થઈ હતી, જ્યારે કાર ચાલક નઇમભાઈનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. કારમાં સવાર રાજપીપળાના વતની સૈયદ જિલાની મિયા કાદરી, સૈયદ તસલીમબાનુ જિલાની મિયા, સૈયદ રૂકસાર બેગમ મોહમ્મદ મીયાને નાની-મોટી ઇજા પહોચી હતી. જ્યારે સૈયદ જિલાની ગંભીર ઇજા થતાં ઉદયપુર મધ્યેની હોસ્પિટલમાં સારવાર માટે રખાયા હતા. મૃતકનો પાર્થિવ દેહની 21મી તારીખે વડોદરામાં દફનવિધિ કરાશે.