વિસનગરથી કડા રોડ પર આવેલ અંધજન મંડળ સામેની કેનાલમાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી

વિસનગરથી કડા રોડ આવેલ અંધજન મંડળ સામે કેનાલમાંથી અજાણ્યા વ્યકિતનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. આ ઘટના વિશે પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢી પી.એમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

કડા હાઇવે રોડ પર કેનાલમાંથી કોઈ અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો હતો. જેમાં હજુ સુધી મૃતકની ઓળખ થઈ ન હતી. મૃતદેહ મળી આવતા આજુબાજુ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જેમાં મૃતદેહ 55 વર્ષીય પુરુષનો હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે આ અંગે મૃતદેહને પી.એમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.