નિંગાળમાં ગૃહકંકાસમાં યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યો


અંજાર તાલુકાના નિંગાળ ગામે રહેતા દંપતિ વચ્ચે ગૃહા કંકાસ થયો હતો. જેથી પત્ની પિયરમાં રહેવા ચાલી ગઈ હતી. ત્યારે આ વાતનું લાગી આવતા યુવાને પોતાના પતરાવાળા રૂમમાં રસ્સી બાંધી ઘણી ફાંસો ખાય મોતનો અકળ માર્ગ અપનાવી લીધો હતો.
અંજાર પોલીસ મથકે થી પી.એસ.આઇ બીએસ ચૌહાણ એ વિગતો આપીને જણાવ્યું હતું કે, ગત બુધવારના સવારના અરસામાં આ બનાવ બન્યો હતો. તાલુકાના નિંગાળ ગામે રહેતા શક્તિસિંહ પ્રતાપસિંહ જાડેજા (ઉ.વ.૩૫) અને તેમની પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતી જેથી મહિલા પિયરમાં રહેવા ચાલી ગઈ હતી. આ વાતનો લાગી આવતા શક્તિસિંહ પોતાના પત્રા વાળા રૂમમાં રસી બાંધી ગળે ફાંસો ખાઈ મોતનો માર્ગ અપનાવી લીધો હતો. ઘટનાની જાણ થતા ગામના લોકો એકઠા થઈ ગયા હતા અને યુવાનની નીચે ઉતારી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. પરંતુ ફરજ પરના તબીબે હતભાગી યુવાને મૃત જાહેર કરી દીધા હતા જે અંગે પોલીસે નોંધ દર્જ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.