20 હજારની રોકડ પડી જવાથી રિક્ષાચાલક આર્થિક ભીંસમાં આવી જતાં પોતાની જ રિક્ષામાં ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું


રાજકોટ શહેરના કેવડાવાડી વિસ્તારમાં રહેતા રિક્ષાચાલક યુવાને થોડા દિવસ પૂર્વે 20 હજારની રોકડ પડી જતા આર્થિક ભીંસમાં આવી ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. કેવડાવાડીમાં રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા નૈમિષ જસવંતભાઈ શાહ (ઉ.વ.36) નામના યુવાને ગઈકાલે સવારે નાનામવા રોડ પર શાસ્ત્રીનગર પાસે પોતાની જ રિક્ષામાં ઝેરી દવા પી લતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર દરમિયાન મોડી રાત્રે તેનું મૃત્યુ નિપજ્યુ હતું. આ વિશે તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ ઝાલાએ હોસ્પિટ પહોંચી પ્રાથમિક કાગળો કરી જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ હતી. પ્રાથમિક તપાસમાં રિક્ષા ચાલક નૈમિષની પાંચેક દિવસ પૂર્વે 20 હજારની રોકડ કયાંક પડી ગઈ હતી. દિવાળીના તહેવારમાં જ રોકડ ખોવાઈ જવાથી આર્થિક ભીસમાં આવી આ પગલું ભરી લીધા હોવાનું જાણવા મળ્યું છે.