અમદાવાદથી કચ્છ આવેલ ઉમેદવાર કચ્છની શું કરશે દશા અને દિશા તેવું લોક મુખે ચર્ચા.

હાલે વિધાનસભાની ચૂંટણીના પ્રચાર અર્થે કચ્છમાં વિવિધ પક્ષો દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટીએ પણ પોતાના કચ્છની અંદર ત્રણ ઉમેદવારો જાહેર કર્યા છે તેવામાં માંડવી – મુન્દ્રા શીટ માટે મૂળ કચ્છના પણ હાલે અમદાવાદ વસવાટ કરતા કૈલાશદાન ગઢવીની જાહેરાત કરવામાં આવી છે તો શું ? આમઆદમી પાર્ટીને માંડવી મુન્દ્રામાંથી એવો કોઈ કેપેબલ નેતા ન મળ્યો કે તેઓને હાલે અમદાવાદ રહેતા કૈલાશુદાન ગઢવીને ટિકિટ આપવી પડી. ત્યારે તેઓ માંડવીના અનેક વિસ્તારોમાં પ્રચાર અર્થે નીકળેલ ત્યારે અનેક લોકો દ્વારા તેઓ ઉપર વિવિધ સવાલો કરી રહયા છે જેમ કે તેઓ ચૂંટાયા પછી કચ્છમાં વસવાટ કરશે કે પછી તેમના મત વિસ્તારના લોકોને પોતાના પ્રશ્નો માટે અમદાવાના ધક્કા ખાવા પડશે.