બંગાળી કારીગરે સોનાની ઉઘરાણી કરતાં આધેડે ફીનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કરતાં સારવાર માટે ખસેડાયા

રાજકોટ શહેરના મોરબી રોડ પર રાધમીરા પાર્કમાં રહેતાં પ્રદીપભાઈ મણીભાઈ માંડલીયા (ઉ.વ.50) ગઈકાલે રાત્રે ઠાકર હોટલ નજીક હતાં તે દરમિયાન ફીનાઇલ પી આપઘાતનો પ્રયત્ન કરતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટના અંગે સિવિલ ચોકીના સ્ટાફે એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. આત્મહત્યાનો પ્રયત્ન કરનાર પ્રદીપભાઈના ભાઈએ જણાવ્યું હતું કે, તેને બંગાળી કારીગર પાસેથી 500 ગ્રામ સોનુ મજૂરી કામ માટે લીધું હતું જે સોનુ અન્યને વહેચી તેના આશરે રૂ.25 લાખ જેવા વાપરી નાખ્યા હતાં. જે પછી બંગાળી કારીગરે સોનાની ઉઘરાણી કરતાં તેને આ પગલું ભર્યું હતું.