ગડખોલમાં પરિણીતાએ ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું


અંકલેશ્વર ગડખોલના ગોપીનાથ રો હાઉસ મધ્યે 47 વર્ષીય પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. 47 વર્ષીય મહિલા એ અગમ્ય કારણોસર નાયલોન ની દોરી બાંધી સિલિગ ફંડો લગાવી આત્મહત્યા કરી લીધી હતી. જીઆઇડીસી પોલીસ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
અંકલેશ્વર તાલુકા ગડખોલ ગામ મધ્યે આવેલ ગોપીનાથ રો હાઉસ ખાતે રહેતા નિશાબેન પ્રવેશ પાલ એ ગત રોજ અગમ્ય કારણોસર ધરે રૂમમાં સિલિગ ફેન સાથે નાયલોન ની દોરી બાંધી ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે તેમના પુત્ર ને જાણ થતા જીઆઇડીસી પોલીસ મથકમાં જાણ કરી હતી પુત્ર દિપક ની ફરિયાદ આધારે પોલીસે સ્થળ પર દોડી આવી હતી.મૃતદેહ નીચે ઉતારી પી.એમ માટે ખસેડવામાં આવ્યો હતો. ઉપરાંત પ્રાથમિક અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી હતી.