ભુજ મીરજાપર પાસે આવેલ હંગામી ફટાકડા બજારના વિક્રેતાઓએ ગેરકાયદેસર રીતે ફટાકડા વેંચાણ વિરુદ્ધ પોલીસમાં કરી ફરિયાદ


ભુજના મીરજાપર માર્ગે આવેલ હંગામી ફટાકડાની બજાર હેઠળ તંત્રની મંજૂરી સાથે ફાટકડાનું વેંચાણ કરતા 30 જેટલા વિક્રેતાઓએ બીનાધિકૃત રીતે વિવિધ શહેરમાં ફટાકડાના થઈ રહેલા વેંચાણ વિરુદ્ધ વિરોધ કર્યો હતો. તેમજ વિના પરવાનગીએ ફટાકડા વેંચાણ કરતાં ધંધાર્થીઓ પર રોક લગાવવાની માગ સાથે ભુજ શહેર પોલીસ મથકે રજૂઆત કરી હતી. અને વિક્રેતાઓએ દાવો કર્યો હતો કે દિવાળીના દિવસોમાં અહીં 80 જેટલા સ્ટોલમાં પહેલા ફટાકડાનું વેંચાણ થતું હતું. તો આ વખતે માત્ર 30 વિક્રેતાઓ દ્વારા ફટાકડાના સ્ટોલ રાખવામાં આવ્યા છે. કારણ કે તંત્રના નિયમોનું ઉલ્લંઘન કરતા લોકો વિરુદ્ધ કોઈજ કાર્યવાહી થતી નથી. તેથી હવે ધારેલા એકજ સ્થળના બદલે વિવિધ જગ્યાએ ફટાકડા વેચાઈ રહ્યા છે. જે લોકોની સલામતી માટે જોખમરૂપી છે તેમજ કાઉદેસર રીતે સમૂહમાં વેંચાણ કરતા વેપારીઓએ માટે આર્થિક ખોટ સમાન છે. મીરજાપર માર્ગે બનેલી હંગામી ફટાકડા સ્ટોલ વેંચાણ કરતા વિક્રેતાઓ પૈકી ભૌમિક ગોરે માધ્યમોમાં જણાવ્યું હતું કે તંત્રની પરવાનગી વિના સમગ્ર શહેર માં બેરોકટોક ફટાકડાનું વેંચાણ થઈ રહ્યું છે. ત્યારે લોકો ફટાકડા બજાર સુધી પહોચતા નથી. તો તંત્રના ભરોસે ફાળવેલી જમીન પર પરવાનગી સાથે મોટી રકમનું રોકાણ કરી સિઝન વ્યવસાય કર્યો છે. પણ તંત્રના વાંકે 30 જેટલા સ્ટોલધારકોને નુકશાની સહન કરવી પડી રહી છે. આ અંગે પોલીસ મથકમાં પણ રજૂઆત કરાઈ છે. પરંતુ મામલતદાર કચેરીમાં ફરિયાદ કરવાનો કોઈ જવાબ મળ્યો છે. તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરી ફટાકડા વિક્રેતાઓનું હિત જાળવી રાખે તેવી માંગ છે