ભુજ શહેરમાં ઘર વિહોણા લોકોનો ફૂટપાથ પર વધારો

copy file

ભુજ શહેરમાં ફૂટપાથ ઉપર પડ્યા રહેતા ઘર વિહોણા લોકો માટે રૈન બસેરા બનાવમાં આવ્યું છે, જેમાં તેમને રહેવા અને જમવા માટેની સુવિધાઑ પૂરી પાડવામાં આવે છે. તેમ છતાં ફૂટપાથ ઉપર દિવસ રાત પડ્યા રહેતા લોકોની સંખ્યામાં કોઈ ઘટાડો જોવા મડ્તો નથી. ક્રિષ્નાજી પુલથી ઉમેદનગર સુધીના ફૂટપાથનું બ્યુટીફિકેશન થયું છે. પણ , ત્યાંય ઘર વિહોણા લોકોએ કબજો કરી લીધ છે.

ભુજ નગરપાલિકા સ્થિત એન.યુ.એલ.એમ. સંસ્થાઓ પ્રારંભમાં ખારી નદી પાસે એક આખી કોલોની ભાડે રાખીને ઘર વિહોણા લોકોને રહેવા માટે તેમજ જમવા સહિતની સગવડો પૂરી પાડવાનું સંચાલન બિનસરકારી સંસ્થાને સોંપ્યું હતું. છેલ્લે જૂની મેન્ટલ હોસ્પિટલમાં રૈન બસેરાનું સ્થળાંતર કરાયું હતું. શરૂઆતમાં તો ભુજ નગરપાલિકા દ્વારા ફૂટપાથ ઉપર પડ્યા રહેતા લોકોને રૈન બસેરામાં ખસેડવાની કામગીરી ચાલુ રાખી હતી. પણ, છેલ્લા કેટલાક મહિનાઓથી સાતત્ય જડવાયું નથી, જેથી ફૂટપાથોની હાલત બદતર થતી જાય છે.

જગ્યા ઓછી પડે છે:મેનેજર
એન.યુ.એલ.એમ.ના મેનેજર કિશોર શેખાને કોલ કરી પૂછતા તેમણે જણાવ્યું હતું કે, મેન્ટલ હોસ્પિટલમાં જગ્યા ઓછી પડે છે, જેથી બધાને સમાવી શકાતા નથી. આમ, કલેકટર પાસે જમીનની માંગણી કરી છે. પણ, કલેકટર કચેરીએથી હજુ સુધી કોઈ મંજુરી મળી નથી. મંજુરી મળી જતા નાગોર રોડ પાસેની વિશાળ જગ્યામાં 100 જેટલા રૂમ બની જશે. ત્યારબાદ આ સમસ્યા નહીં રહે.