અંજારમાં વ્યાજખોરે કોરા ચેક પાછા ન આપી સતત ધાક ધમકી બાદ માર મારતા ફરિયાદ નોંધાઈ

અંજારમાં ફ્રૂટના ધંધાર્થીએ જરૂરતના સમયમાં રૂ.50 હજાર 20 ટકા વ્યાજ દરે ઉધારા લીધા પછી વ્યાજખોરે સહી કરેલા કોરા ચેક પાછા ન આપ્યા તો પણ સતત ધાક ધમકી કર્યા પછી માર પણ માર્યો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે દાખલ કરાવાઈ છે.

અંજારના પ્રભાતનગરમાં રહેતા અને ફ્રૂટનો વેપાર કરતા જગદિશ અણદા કુંવરિયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, એક વર્ષ પૂર્વે તેમને રૂપિયાની જરુર પડતાં તેમના ઘર પાસે જ આવેલા ઓડિયાર એન્ટરપ્રાઇઝના નામે વ્યાજે પૈસા આપવાનો ધ઼ધો કરતા મનિષ હીરા સોરઠીયાની ઓફિસે તેમની પત્ની કંચનબેને રૂપિયા ઉધાર જોતા હોવાની માંગ કરતાં રૂ.300ના સ્ટેમ્પ પેપર અને કોરા ચેક લઇને આવવાનું કહેતાં તે આપી રૂ.50,000 વીસ ટકાના વ્યાજે લીધા હતા. તેમાંથી રૂ.46 હજાર પાછા આપી દીધા હતા. ત્યાર પછી ફરી જરૂર ઉભી થતાં રૂ.20,000 વીસ ટકાના વ્યાજે લીધા.

તેમાંથી બે હજાર પાછા આપી દીધા હતા અને રૂ.18 હજાર તેમને આપવાના બાકી છે. તેઓ ઘરે હતા ત્યારે મનિષ હીરાભાઇ સોરઠીયા તેમના ઘરે આવ્યા હતા અને ઉઘરાણી કરી હતી તેમને અમારે તમને રૂ.21,500 આપવાના છે તે આપી દઉં તો આ મનિષે ઉશ્કેરાઇ માર માર્યો અને મારી પાસે બે કોરા ચેક પડ્યા છે તે બંનેમાં એક લાખ રકમ ભરી કેસ કરવાની ધમકી આપી હતી. આ મનિષે કોરા ચેક પાછા ન આપી માર માર્યો હોવાની ફરિયાદ અંજાર પોલીસ મથકમાં દાખલ કરાવી હતી.