કેનેડાના નકલી વિઝા સ્ટિકર કૌભાંડમાં 12થી વધુ લોકો સાથે ઠગાઇ કરવામાં આવી


કેનેડાના નકલી વીઝા સ્ટિકર કૌભાંડમાં ઝડપાયેલા ચાર આરોપીઓએ રાજ્યભરમાં 12 કરતા વધુ લોકો સાથે ઠગાઇ કરી લાખો રૂપિયા પડાવી પાડ્યા હતા. જો કે, આ કૌભાંડમાં અન્ય આરોપીઓ સંકડાયેલા હોવાની માહિતીના આધારે પોલીસે તેમની શોધખોળ શરૂ કરી હતી.
એટીએસે નરોડા વિઠ્ઠલ પ્લાઝામાં આવેલી એર વે હોલિડે નામની ઓફિસમાં રેડ પાડી નીલેશ પંડ્યા, જય ત્રિવેદી, મયૂર પંચાલ, અને પીયૂષ પટેલની અટકાયત કરી હતી. તપાસમાં એવું ખુલ્યું કે, આરોપીઓ કેનેડાના વિઝા રદ થયા હોવા છતાં કેનેડા કોન્સ્યુલેટના વિઝાના સ્ટિકર લગાવી પૈસા પડાવી રહ્યા હતા. બીજી તરફ કેનેડા કોન્સ્યુલેટના વિઝા જેવા જ અદલ દેખાતા સ્ટીકર બનાવી આપનારા વ્યક્તિની પણ પોલીસે શોધખોળ શરૂ કરી છે. આરોપીઓ પૈકી નીલેશ પંડયા પૂર્વે ગુજરાત તથા રાજસ્થાનમાં આ જ પ્રકારના નકલી વિઝાના કૌભાંડમાં ઝડપાઇ ચૂક્યો છે. જ્યારે પીયૂષ પટેલ પણ રાજસ્થાનમાં ઝડપાયો હતો.