ફ્રોડથી બચવા માટે બેંકમાંથી 3.15 લાખ ઉપાડી ઘરે રાખ્યા તો ઘરેથી ચોર ચોરી ગયા

માંજલપુર વિસ્તારમાં રહેતા રહીશ અમદાવાદ મધ્યે બહેનના ઘરે ભાઈબીજ કરવા ગયા પછી તેમના ઘરમાંથી સોના-ચાંદીના ઘરેણા તેમજ રોકડા 3.15 લાખની તસ્કરી થઈ હતી. આ અંગે રહીશે જણાવ્યું હતું કે જાન્યુઆરીથી માર્ચ મહિના સુધી તેઓને બેન્કના ફ્રોડ મેસેજ ખુબ જ આવતા હતા એટલે તઓએ બેન્કમાંથી પૈસા ઉપાડી લીધા હતા અને ઘરમાં રાખ્યા હતા. માધવપાર્કમાં આવેલા શ્રીજી એપાર્ટમેન્ટમાં રહેતા ધીરેન જોષી બપોરે પરિવાર સાથે અમદાવાદ મધ્યે બહેનના ઘરે ભાઈબીજ કરવા માટે ગયા હતા. તે દરમિયાન તેઓના ઘરમાં રૂા.2.49 લાખના દાગીના અને 3.15 રોકડ રકમની તસ્કરી થઈ હોવાની જાણ થઈ હતી. જેથી ધીરેનભાઈએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં 5.64 લાખની ચોરી અંગેની હોવાની ફરિયાદ દાખલ કરાવી હતી.

આ અંગે ધિરેનભાઈએ જણાવ્યું હતું કે, કે, જાન્યુઆરી થી માર્ચ દરમિયાનમાં તેઓને બેન્કના ફ્રોડ મેસેજ, લિંક ખુબ જ આવતી હતી. આથી તેઓ પરેશાન થઈ ગયા હતા. આ અંગે તેઓએ સાયરબ સેલમાં પણ રજૂઆત કરી હતી જ્યાંથી તેઓને વ્યસ્થિત પ્રતિસાદ ન મળતા છેવટે તેઓએ બેન્કમાંથી તમામ પૈસા ઉપાડી લીધા હતા અને ઘરમાં મૂક્યા હતા. દિવાળી પૂર્વે તેઓએ 50 હજારનુ રોકાણ પણ કર્યું હતુ અને બાકી પૈસાનું રોકાણ તેઓ દિવાળી પછી કરવાના હતા.