બાંડિયાના ધાર્મિક સ્થળે યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

નખત્રાણા 108 માં પાયલોટ તરીકે ફરજ બજાવતા યુવાને અબડાસા તાલુકાના બાંડીયા ગામમાં જખદાદાના મંદિરે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.ધાર્મિક સ્થળે ફાંસો ખાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.પ્રાથમિક તપાસમાં બનાવનું કારણ અકબંધ રહ્યું હતું.મળતી માહિતી અનુસાર મોટી વિરાણી ગામમાં રહેતા 40 વર્ષીય જાગરીયા જયમલભાઈ ગોપાલભાઈએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.હતભાગીના ભાઈ બાબુલાલે પોલીસને જણાવ્યું હતું કે સાંજે 7 વાગ્યાના સમયગાળામાં હતભાગી બાંડીયા ગામમાં આવેલ જખદાદાના મંદિરના ગેટ પર કોઈ અગમ્ય કારણોસર દોરી વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.
ઘટનાની જાણ થતા તેમને સારવાર માટે નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર મધ્યે લઇ જવાયા હતા.જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત ઘોષિત કર્યો હતા.ધાર્મિક સ્થળે આત્મઘાતી પગલું ભરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.નખત્રાણા 108 માં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હતભાગીના મોતને લીધે પરિવાર સહિત મિત્ર વર્તુળમાં શોક છવાઈ ગયો છે. ઘટનાને પગલે નલિયા પોલીસ મથકમાં અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ વધુ હાથ ધરી છે.