ગાંધીધામમાં વરસાદી નાળું બેસી જતાં આઇક્રીમની લારી અંદર ઘૂસી: સદભાગ્યે કોઈ જાનહાનિ નહિ

copy image
સુંદરપુરી પાણીના ટાંકા પાસેનો વરસાદી નાળુ બેસી જતાં તેમાં એક આઇક્રીમની લારી ઘુસી ગઇ હતી. સદનસીબે આ ઘટનામાં કોઇને ઇજા પહોચી નહોતી. વરસાદી નાળા પાસેની આ સ્લેબનું મરંમત કામ ચાલુ કરી દેવાયુ હતું. શહેરના સુંદરપુરી પાણીના ટાંકા પાસે દરરોજ સાંજે બજાર ભરાય છે જેમાં જુદી જુદી લારીઓ ઉભી રહે છે. બપોરે ટાંકા પાસે શૌચાલય નજીક અપના- નગર બાજુ જતા માર્ગની બાજુમાં આવેલા બંધ વરસાદી નાળા ઉપર આઇક્રીમની એક લારી રખાઈ હતી. રેંકડીનો આ નાનો ધંધાર્થી અહીં વેપાર કરતો હતો તે દરમ્યાન આ બંધ નાળું અચાનક બેસી ગયું. આ જોઇને લારીનો સંચાલક દૂર હટી ગયો હતો જ્યારે તેની લારી અંદર ઘુસી ગઇ હતી. આ ઘટનામાં આઇક્રીમના કોન વગેરેમાં નુકસાન થયું. આ જોઇને આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા અને અંદર ઘુસી ગયેલી લારીને બહાર કઢાઈ હતી.