ગાંધીધામમાં વૃધ્ધ વેપારીને ત્યાં મારકૂટ કરી લૂંટને અંજામ આપનાર આરોપી ઝડપાયા

copy image
ગાંધીધામના શક્તિનગરમાં વૃધ્ધ વેપારીને મારકૂટ કર્યા પછી છરી વડે ઇજા કરી લૂંટ કરાઈ હતી. આ લૂંટના આરોપીઓને LCBએ પકડી પાડી કુલ રૂ.13 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ આરોપીઓને એ-ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યા હતાં.
ગાંધીધામના સેક્ટર-1/એ શક્તિનગરમાં રાત્રે ઘરનો દરવાજો તોડી અંદર ઘૂસી વૃધ્ધ વેપારીને મારકૂટ કર્યા પછી છરી વડે ઇજા કરી રૂ. 30 હજારની લૂંટને અંજામ આપી નાસી ગયા હતા. આ ત્રણ આરોપી કિડાણાના દસ્તગીલ ઉમર સૈયદ, ચાવલા ચોકમાં રહેતા અભિષેક અવધ કીશોર દુબે અને ખન્ના માર્કેટમાં રહેતા હાર્દિક જીતેન્દ્ર ગોહિલને ઝડપી લઇ તેમની પાસેથી ચાંદિના સિક્કા સહિત કુલ રૂ.13 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. એલસીબીએ આ લૂંટનો ભેદ શોધી આરોપીઓને વધુ તપાસ અર્થે એ-ડિવિઝન પોલીસને સોંપ્યા હોવાનું એલસીબી PI એમ. એમ. જાડેજાએ જણાવ્યું હતું.