સુરેન્દ્રનગરના જૈન સમાજની બોર્ડીંગ નજીક ઉદ્યોગપતિની કાર ટેલિફોનના થાંભલા સાથે ટક્કરાતા અકસ્માત સર્જાયો: 5 ઘાયલ
સુરેન્દ્રનગરના જૈન સમાજની બોર્ડીંગ નજીક ઉદ્યોગપતિની પુરઝડપે જતી કાર ટેલિફોનના થાંભલા સાથે ટક્કરાતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં પાંચ લોકોને ઇજા થઈ હતી.
સુરેન્દ્રનગરના ઉદ્યોગપતિ અને ભાજપના સક્રિય એવા કિશોરસિંહ ઝાલા સદાદ વાળા પાવર ટેકના માલિક રાત્રિના સમયે કોઈ ગામથી સુરેન્દ્રનગર પાછા ફરતા હતા તે દરમિયાન સુરેન્દ્રનગર શહેરની કારીગરની હોટલથી આગળ જતા જૈન સમાજની બોર્ડિંગ નજીક ટેલીફોનના થાંભલા સાથે પોતાની ઇનોવા કાર ધડાકાસાથે ટક્કરાઈ ગઈ હતી. જેથી અકસ્માત સર્જાતા થાંભલો પણ પડી ગયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર 5 લોકોને ઈજા થઈ છે. ઇનોવા કારને પણ મોટી માત્રામાં નુકસાન થયું છે. આ અકસ્માતની ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથ ધરાઈ છે.