ખોડિયારનગર વિસ્તારમાં રહેતા 19 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

images

શહેરના ખોડિયારનગર વિસ્તારમાં રહેતા મોહંમદ નુરસિંહ મોહંમદ નસીમ આલમ નામના 19 વર્ષીય યુવાને સાંજે પોતાના રૂમ ઉપર હતો. મજૂરી કરનારા આ યુવાને પોતાના ઘરે પ્લાસ્ટિકનો પટ્ટો લોખંડના પાઇપમાં બાંધી ગળેફાંસો ખાઇ પોતાના જીવન ટૂંકાવ્યું હતું. આ પરપ્રાંતીય યુવાને ક્યાં કારણોસર આવું પગલું ભર્યું હશે તે હજુ જાણી શકાયું નથી. શહેરના એ-ડિવિઝન પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.