ગાંધીધામ નું ઓવરબ્રીજનું કામ વિજતંત્રના વાંકે અટકી જતાં ચાલકોને મુશ્કેલી
ગાંધીધામ શહેરના આંબેડકર સર્કલ પાસે બની રહેલા ઓવરબ્રિજના કામને છેલ્લા કેટલાય સમયથી બ્રેક લાગ્યાં છે. અહીં વીજતંત્રના વાયર હટાવવા લેખિત જાણ કરવામાં આવી હોવા છતાં આ વાયર ન હટતા કામ અટકી ગયો છે. તો બીજી તરફ શક્તિનગર બાજુ જવાના માર્ગ ઉપર માટીના ઢગલા કરી માર્ગ બંધ કરી દેવામાં આવતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનું સામનો કરવો પડે છે.
છેલ્લા કેટલાક સમયથી શરૂ થયેલું ઓવરબ્રિજનું કામ સમયાંતરે વિવાદમાં આવતું રહ્યું છે. આ માર્ગ પર લાયન્સ ક્લબ અને શક્તિનગર વચ્ચેના ભાગે વિજતંત્રના વીજ વાયર થાંભલા આવેલા છે આ વાયર અને થાંભલા કામમાં અવરોધક હોવાથી આ બંને હટાવવા તંત્રને લેખિતમાં જાણ કરવામાં આવી હોવાનું સૂત્ર એ જણાવ્યુ છે. દોઢ મહિના અગાઉ થયેલી આ અરજીબાદ પણ અહીંથી વાયર ન હટતા ઓવરબ્રિજની કામગીરી અટકી ગઈ છે. બ્રિજનું આ કામ 2023 એપ્રિલ પહેલા પૂરું કરવાનું હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું. પરંતુ કામમાં અડચણ આવતી હોવાથી નું કામ ધીમી ગતિએ થઈ રહ્યું હોવાનું સામે આવ્યું હતું
બીજી તરફ ડોક્ટર હેમાંગ પટેલ હોસ્પિટલથી બાબાસાહેબ આંબેડકર સર્કલ બાજુ જતા સર્વિસ રોડ પાસે શક્તિનગર બાજુ જવાના માર્ગે માટીના ઢગલા મૂકી દેવામાં આવતા કાર કે દ્વિચક્રીય વાહનો શક્તિનગર બાજુ જઈ શકતા નથી. ખાનગી ટ્રાવેલ્સની બસો અને તોતિંગ વાહનો આ રસ્તાનો ઉપયોગ કરતા હોવાથી સ્થાનિકોને અકસ્માતનો ડર રહે છે. આ જાહેર માર્ગ બંધ કરી દેવામાં આવતા અન્ય વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. માર્ગ ચાલુ કરાવવા લોક માંગ ઉઠી.
 
                                         
                                        