મુંદ્રા તાલુકાના ઝરપરામાં યુવાનનો ગળે ફાસો ખાઈ કર્યો આપઘાત

મુંદરા તાલુકાના ઝરપરા ખાતે રહેતા આતુ મેઘરાજ દનિચા નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. મળેલ માહિતી અનુસાર, ઝરપરામાં રહેતા હતભાગીએ કોઈ અગમ્ય કારણોસાર ગળેફાંસો ખાઈ લેતાં તેને સારવાર અર્થે મુંદરાના સરકારી દવાખાને  લઈ જવાતાં આવેલ હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.