માંડવી ખાતે આવેલ નાની ખાખરમાં 25 વર્ષીય પરિણીતાએ અગમ્ય કારણોસર ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું
copy image
માંડવી ખાતે આવેલ નાની ખાખરમાં અગમ્ય કારણોસર પરિણીતા ધર્માબા યુવરાજસિંહ જાડેજા (ઉ.વ.25)એ ગળેફાંસો ખાઈ મોતને ભેટો કર્યો હતો. મળેલ માહિતી અનુસાર નાની ખાખરમાં રહેતા ધર્માબા જાડેજા પોતાના ઘરમાં ગત તા.11/8 ના બે વાગ્યાના અરસામાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. આ યુવતીએ કયાં કારણોસર આવું પગલું ભર્યું હશે તેનું કારણ જાણવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.