અંજાર ખાતે આવેલ  ખેડોઇ નજીક પવનચક્કીમાં આગ ભભૂકી ઉઠતાં  તોતિંગ પાંખડા તૂટ્યા, સદભાગ્યે કોઈ જાનહાની નહીં

copy image

અંજાર ખાતે આવેલ ખેડોઇ નજીક આવેલા ચાંપલ માતાજીના મંદિર પાસે આવેલી મહાકાય પવનચક્કીમાં અચાનક આગ ભભૂકી ઉઠતા પવનચક્કીનું તોતિંગ પાંખડું તૂટી જમીન પર પડી ગયું હતું. સદ્દભાગ્યે આ ઘટનામાં દૂર્ઘટના થઈ ન હતી , અંજાર નગરપાલિકાની ફાયર ફાઇટર ટીમ તુરંત  ઘટનાસ્થળે પહોંચી ગયેલ હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા.