અંજાર ખાતે આવેલ મેઘપરમાં 30 વર્ષીય યુવાને ગળે ફાસો ખાઈ મોતને ભેટો કર્યો
copy image

અંજાર ખાતે આવેલ મેઘપર કુંભારડીમાં રહેતા 30 વર્ષીય યુવાને ગળે ફાસો ખાઈ મોતને ભેટો કર્યો હતો. આ અંગે મળેલ માહિતી અનુસાર અંજાર ખાતે આવેલ મેઘપર કુંભારડીમાં સીમ વિસ્તારમાં આવેલ ભક્તિનગરમાં રહેતા 30 વર્ષીય કેતન નરેશભાઇ રાઠોડ નામના શખ્સે ગત ગુરૂવારે 7 વાગ્યાના અરસામાં પોતાના ઘરે કોઈ અગમ્ય કારસોસર ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી આદરી છે.