ગાંધીધામ ખાતે આવેલ ગુરૂકુળ વિસ્તારમાંથી 13 વર્ષિય સગીરાનું અપહરણ થતાં ફરિયાદ નોંધાઈ

copy image

copy image

ગાંધીધામ ખાતે આવેલ ગુરૂકુળ વિસ્તારમાં 13 વર્ષીય સગીરાનું અપહરણ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ અંગે મળેલ માહિતી અનુસાર આ બનાવ અંગે સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવેલ છે. નોંધાવેલ ફરિયાદ ફરિયાદ અનુસાર આ ઘટના ગત તા.20/9 ના સવારે 8:30 થી 11 વાગ્યાના અરસામાં બનેલ હતી, કોઇ અજાણ્યો શખ્સ તેમની 13 વર્ષની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવી પોતાના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયેલ હતો. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.