નખત્રાણા ખાતે આવેલ કોટડા-રોહામાં બંધ ઘરના તાળાં તોડી 27 હજારના દાગીનાની તસ્કરી થતાં ફરિયાદ નોંધાઈ

copy image

  નખત્રાણા ખાતે આવેલ કોટડા-રોહામાં બંધ ઘરના તાળાં તોડી ગામના જ એક શખ્સે 27 હજારના સોના-ચાંદીના દાગીનાની તસ્કરી કરેલ હોવાની ફરિયાદ નખત્રાણા પોલીસ મથકે નોંધાવવામાં આવેલ છે. આ મામલે કોટડા-રોહાના કેસરબેન ગાંગજી મહેશ્વરી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર આરોપીએ ગત તા. 23/10થી 31/10 દરમ્યાન  તેમના બંધ ઘરનું તાળું તોડી કબાટમાંથી કુલ રૂા. 27,000ના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી નાસી છૂટ્યો હતો. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.