ગાંધીધામ ખાતે આવેલ  મીઠીરોહરમાં સૂઇ રહેલા 14 વર્ષીય કિશોરનું હૃદયરોગના હુમલાથી મોત

copy image

ગાંધીધામ  ખાતે આવેલ મીઠીરોહરમાં હૃદયરોગના હુમલાએ 14 વર્ષીય કિશોરનો જીવ લીધો હતો. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર ગાંધીધામ  ખાતે આવેલ મીઠીરોહરમાં મોડવદર રોડ નજીક કંપની વસાહતમાં રહેતા 14 વર્ષીય સાકિલ અહેમદને અચાનક હૃદયરોગનો હુમલો આવતાં તેનું મોત નીપજયું હતું. આ બાનાવ ગત તા. 5-11ના રાતના અરસામાં બન્યો હતો.   આ કિશોર તેના માતા-પિતા અને મોટા ભાઇ સાથે રાતે સૂતો હતો તે દરમ્યાન મોડી રાત્રે અચાનક ઊઠીને બાજુમાં સૂઇ રહેલા તેના મોટાભાઇ ઉપર તે પડયો હતો. આ કિશોર બેભાન થઇ જતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો જ્યાં પ્રાથમિક તપાસમાં તેને હૃદયરોગનો હુમલો આવતાં તેનું મોત થયા હોવાનું સામે આવ્યું હતું. આ કિશોરનું મોત ખરેખર કેવી રીતે થયું હશે તે પીએમ થયા બાદ બહાર આવશે તેવું જાણવા મળેલ છે.