ગાંધીધામના ભારતનગરમાં જાહેર જમીન પર દબાણ કરી દેવાતા ફરિયાદ ઉઠી

copy image

ગાંધીધામ શહેરના ભારતનગરમાં મોટા પ્લોટ પર દબાણ કરી દેવામાં આવ્યા હોવાની ફરિયાદ સામે આવી રહી છે. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ભારતનગર જનતા કોલોની વિસ્તારમાં અગાઉ જે ખાલી જમીનનો જનસામાન્ય રમત-ગમત અને સાર્વજનિક કાર્યક્રમો માટે ઉપયોગ કરવામાં આવતો હતો તેની જગ્યાએ હવે વિશેષ વર્ગ દ્વારા બાંધકામ કરીને નિશ્ચિત વર્ગ માટે તેને બાંધી દેવામાં આવેલ હોવાથી ફરિયાદ ઉઠી છે. ઉપરાંત ધાર્મિક સ્થાનોને લઇને પણ આજ પ્રકારની ફરિયાદ સામે આવી રહી છે, જેમાં સાર્વજનિક મંદિરોને સ્થાનિકોની પરવાનગી વિના કેટલાક લોકો દ્વારા પોતાના હસ્તક કરી તેનું સંચાલન હાથ ધરાયું છે. આ મામલે ટૂંક સમયમાં જ કોઈ કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.