ભુજ તાલુકાના માધાપરમાં ધોળા દિવસે બંધ મકાનનાં તાળાં તોડી 90 હજારની તસ્કરી થતાં ચકચાર

copy image

ભુજના માધાપરમાથી બંધ મકાનના તાળાં તોડી 90 હજારની તસ્કરી થતા ચકચાર પ્રસરી છે. આ મામલે મળેલ માહિતી અનુસાર માધાપરની મતિયા કોલોનીમાં ધોળા દિવસે બંધ મકાનનાં તાળાં તોડી 90 હજારની મત્તાની ચોરી થયાની ફરિયાદ પોલીસ ચોપડે ચડી છે. ગત દિવસે બપોરે 1.30 થી 4 વાગ્યાના સમયગાળામાં આ બનાવ બન્યો હતો. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી ડ્રાઈવિંગનો વ્યવસાય કરતા હોવાથી ગત દિવસે સવારે તે વાહન લઈ સુરેન્દ્રનગર ગયેલ હતા અને તેમના પત્ની બાજુમાં દીકરાના ઘરે જમવા ગયેલ હતા અને અઢી કલાક બાદ પત્નીએ ઘરે આવીને જોતાં મકાનના તાળાં તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા તેમજ ઘરમાં તમામ સમાન વેર વિખેર હાલતમાં જણાયો હતો. વધુ તપાસ કરતાં સામે આવ્યું કે, કબાટમાંથી 27,000 રોકડ અને સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂા. 90,000ના મુદ્દામાલની ચોરી થઈ છે. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.